સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ભાવનગર કોરોનાની લપેટમાં આજે અ ધ ધ ૫૩૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૧,૫૧૫ કેસો પૈકી ૨,૮૦૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર કોરોના ની  લપેટમાં આવ્યો હોય એમ આજે રેકોર્ડ બ્રેક 536 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે .ભાવનગર જિલ્લામા આજરોજ ૫૩૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૧,૫૧૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૦૫ પુરૂષ અને ૧૫૬ સ્ત્રી મળી કુલ ૩૬૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૬, ઘોઘા તાલુકામાં ૨૦, તળાજા તાલુકામાં ૨૬, મહુવા તાલુકામાં ૬, વલ્લભીપુર તાલુકામાં ૧૭, ઉમરાળા તાલુકામાં ૨૧, પાલીતાણા તાલુકામાં ૬, સિહોર તાલુકામાં ૨૧, ગારીયાધાર તાલુકામાં ૧૪ તેમજ જેસર તાલુકામાં ૮ કેસ મળી કુલ ૧૭૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૦૨ અને તાલુકાઓમાં ૭૨ કેસ મળી કુલ ૧૭૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૧,૫૧૫ કેસ પૈકી હાલ ૨,૮૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૧૨૧ દર્દીઓનુ અવસાન થયેલ છે

(8:43 pm IST)