સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જામનગર જીલ્લાના ૩ તાલુકામા માવઠાથી ખેડૂતોમાં ચિંતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તો ૨૬: જામનગર જિલ્લામાં ગઈકાલે ત્રણ તાલુકાઓમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. જામનગરના મતવા,મોટી માટલી, કાલાવડ પંથકના ભંગડા, ખંઢેરા ઉપરાંત જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક જ ઉનાળે ચૈત્ર માસમાં અષાઢી માહોલ ની જેમ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:12 pm IST)