સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

વંથલીના કણજા ગામમાં ખેડૂતનો આપઘાત:કેરીનો પાક નિષ્ફ્ળ જતા ઝેરી દવાના ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું

 

જૂનાગઢના વંથલી તાલુકાના કણઝા ગામમાં એક ખેડૂતે પોતાના ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ લઈ આત્મહત્યા કરી છે.પરિવારને જાણ થતા પરિવાર તેને સારવાર માટે લઈ જાય તે પહેલા તેણે પ્રાણ છોડી દીધો હતો.પોલીસે ખેડૂતના ઘરે પહોંચી પૂછતાછ હાથ ધરી હતી

 પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મુજબ મૃતકનું નામ વાલજીભાઈ ભાયાણી છે ખેડૂત પરિવારે જણાવ્યું કે, કેરીનો પાક નિષ્ફળ જવાના કારણે ઝેરી દવાના ટીકડા ખાઈ આત્મહત્યા કરી હોવી જોઈએ.
પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની આપઘાત કરવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે.

(12:02 am IST)