મોરબી જીલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી
૨૫ એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે મોરબી જીલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે લોકોમાં મેલેરિયા અંગે જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી રેલી શૈત્નિયા કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોરબી જીલ્લાના જુદા જુદા તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોમાં મેલેરિયા જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો જેવા કે સાયકલ રેલી, માઈક પ્રચાર, મારફત જનજાગૃતિ કેળવવામાં આવી હતી લોકોને મેલેરિયાથી બચવા શું કરવું તેવી જનજાગૃતિ કેળવાય અને વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાંથી મેલેરિયા નાબુદ કરવામાં સફળતા મળે તે માટે આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત છે મેલેરિયા નાબુદી કાર્યક્રમમાં તમામ નાગરિકો યોગદાન આપે અને સહભાગી બને તેવી અપીલ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી એલ વારેવડીયાએ કરી હતી.