પાકિસ્તાન જેલ મુકત માછીમારો પરિવારો સાથે...
પ્રભાસ-પાટણઃ આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમામાંથી પાકિસ્તાને મરીને કેદ કરેલ ૩પપ માછીમારોને જુદા-જુદા ચાર તબકકાઓમાં મુકત કરી રહ્યું છ.ે તેવા ૧૦૦ માછીમારો ભારતીયનો આજે ત્રીજા તબકકામાં મુકત કરાતાં તેમના માદરે વખત વેરાવળ આવી પહોંચતા સ્વજનોએ તેને ભેટી હારતોરા કરી આંખમા લાગણીસભર દ્રશ્યોના માહોલમાં સ્વાગત કર્યું.આ માછીમારો દોઢ-બે વરસથી પાકિસ્તાની જેઇલમાં હતા આજે મુકત થયેલા ગીરસોમનાથના ૮૧, પોરબંદરના પ, જુનાગઢ, ભાવનગર ર, દિવ ૧૦ અને અમદાવાદના સમાવેશ થાય છે.આસી.ડાયરેકટર ઓફ ફીસરીઝ વેરાવળના અધિકારી તુષાર પુરોહિતના જણાવ્યા અનુસાર આગામી ૧ અથવા ર મેના રોજ વધુ પપ ભારતીય માછીમારોને પાકિસ્તાન જેઇલ મુકત થશે જે ચાર તબકકામાંનો છેલ્લો તબકકો હશે અને આમ ચાર તબકકામાં ૩પપ નો આંકડો ત્યારે પૂર્ણ થશે. જે પપ મુકત થશે તેમાં ૪૪ ગીરસોમનાથ, ૧ પોરબંદર, ૩ અમરેલી, ૧ રાજકોટ, ૬ દિવનો સમાવેશ થાય છે.