News of Friday, 26th April 2019
હળવદમાં નવ ગામોમાં માવઠાથી નુકશાનીના સર્વેની કામગીરી શરૂ
મોરબીઃ તા.ર૬: જિલ્લાના હળવદ પંથકમાં કમોસમી વરસાદને પગલે હળવદના રાતાભેર, ડુંગરપુર, શિવપુર, માણેકવાડા, ચુંપણી, માથક, છેતરડી, સરંભડા અને સુંદરીભવાની સહિતના નવ ગામોમાં લીંબુ અને આંબાને નુકશાની પહોંચી છે.
કમોસમી વરસાદને પગલે પાકોને નુકશાન થયું હોય જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આ નવ ગામોમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે અને નવ ગામોમાં કયાં કેટલી નુકશાની થઇ છે જે સર્વે પૂર્ણ થયા બાદ નુકશાનીનો સાચો અહેવાલ જાણી શકાશે.
(11:47 am IST)