સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

માધવપુર (ઘેડ)માં દર વર્ષે યોજાતો મેળો મુલત્વી

રાજકોટ તા. ર૬ :.. પોરબંદર જીલ્લાના માધવપુરમાં માધવરાય મંદિરના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પાંચ દિવસ માટે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી  વિવાહ સાથે  ચૈત્રમાં યોજાતો મેળો આ વખતે કોરોનાના કારણે મુલત્વી રાખેલ છે. તેમ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

(4:40 pm IST)