News of Thursday, 26th March 2020
માધવપુર (ઘેડ)માં દર વર્ષે યોજાતો મેળો મુલત્વી
રાજકોટ તા. ર૬ :.. પોરબંદર જીલ્લાના માધવપુરમાં માધવરાય મંદિરના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પાંચ દિવસ માટે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ સાથે ચૈત્રમાં યોજાતો મેળો આ વખતે કોરોનાના કારણે મુલત્વી રાખેલ છે. તેમ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
(4:40 pm IST)