સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પૂ. મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી રાહત ફંડમાં પચીસ લાખનું અનુદાન

રાજકોટ, તા. ર૬ : સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાત રાજયના અનેક જીલ્લાઓ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. આ મહામારીથી બચવાનો એક જ ઉપાય છે, જે છે લોકડાઉન. આવી અનિવાર્ય વ્યવસ્થાને કારણે નાના લોકો, મજુરી કરીને ગુજરાન ચલાવતી વ્યકિતઓ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે.

     સરકારના આ પગલામાં સહાયભૂત થવાની સમજણ સાથે શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી પૂજય મોરારિબાપુની સુચના અનુસાર લંડન સ્થિત શ્રી. રમેશભાઈ સચદેવ પરિવાર તરફથી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત કોશમાં રૂપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવશે. આજે એક યાદીમાં પૂજય મોરારીબાપુએ આ જાહેરાત કરી છે.  એ જ પ્રમાણે આજ રોજ મહુવાની સેવાભાવી સંસ્થા, ''ભૂખ્યાને ભોજન'' તેને પણ રૂપિયા એક લાખની સહાયતા મોકલવામાં આવી છે. આ અગાઉ પૂજય મોરારિબાપુની અનુમતિથી શ્રી. રમેશભાઈ સચદેવ દ્વારા વડાપ્રધાન રાહત કોશમાં એક કરોડનું અનુદાન મોકલવામાં આવેલ છે.

(4:39 pm IST)