સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસને ફેલાતો અટકવવા જાફરાબાદ પોલીસ દ્વારા કામગીરીઃ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી

અમરેલી, તા.૨૬: જાફરાબાદ પોલીસ દ્વારા કોરોના વાયરસના કારણે જાફરાબાદ તાલુકા ના વિસ્‍તારોમાં પ્રવેશ કરતાં તથા બહાર જતાં વાહનોને અટકાવવા, માટે ચેકપોસ્‍ટ શરૂ કરી,જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવા માટે ‘લોક ડાઉન'નો ચુસ્‍ત પણે અમલ કરાવવા લોકો ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ નિરીક્ષક તરીકે આવેલા ડી વાઈ એસ પી ઓઝા જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં ના પી આઇ જે ડી ઝાલા સાહેબ પી એસ આઈ ચોહાણ સાહેબ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.

(12:59 pm IST)