સુરેન્દ્રનગર શાક માર્કેટ બંધ રહેશે
શાકમાર્કેટના થળાના માલિકોને લારીમાં ફેરી કરીને શેરીઓ ગલીઓમાં શાકભાજી વેચવા સૂચના
વઢવાણ,તા.૨૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના કેસો ન બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પણ આથી lockdown છે. ત્યારે આ બજારો સદંતર બંધ નહીં રહે પરંતુ આ બજારમાં બેસવા વાળા લોકો અને બજારના થડા ના માલિકો શેરીઓ ગલીઓમાં જઈને શાકભાજી વેચી શકે છે અને આ નિર્ણય ખાસ કરીને બજારમાં ભીડભાડ ના કારણે લેવામાં આવ્યો છે
કલેકટર કે રાજેશ ના આદેશ થી પ્રાંત અધિકારી ગોસ્વામી ડી સી જાદવ ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા સીટી પીઆઈ ઇન ચાર્જ ત્રીવેદી ટ્રાફિક પીએસઆઇ વી પી સોંલકી કહેવા નીકળીયા હતા અને આવતી કાલ થી સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર વઢવાણ ૮૦ ફુટ રોડ ની તમામ મારકીટ કાલથી અંદર કે મારકીટ ની આજુભાજુ શાકભાજી નુ વેંચાણ કરવાનુ નથી મેળા ના મેદાન પાસે છે એ પણ તેમને એરીયાવાઇઝ જવાનુ છે જયાં સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી બન્ધ રાખવા આદેશ આપવા માં આવીયો છે..