સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ટીમ્બીની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ સામાન્ય બીમારી માટે ૩૧મી સુધી બંધ

તાકીદની બીમારી-પ્રસુતિ વિભાગ ચાલુ રહેશે

ભાવનગર તા. ર૬: સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીમ્બી દ્વારા સમાચાર યાદીથી સૌને જાણ કરવામાં આવી છે કે, વિશ્વની મહામારી બીમારી કોરોનાના કારણે તકેદારી રાખવા હેતુ આવશ્યક ના હોય તેવી નિદાન સારવાર માટે સેવા બંધ કરવાની ફરજ પડેલ છે.

તા. ૩૧ સુધી સામાન્ય બીમારી માટે નિદાન, સારવાર કે શસ્ત્રક્રિયા બંધ રાખેલ છે. તાકીદની બીમારી સારવાર તેમજ પ્રસુતિ વિભાગ ર૪ કલાક ચાલુ છે. આ માટે સંસ્થાના તબીબો અને સહયોગી કર્મચારીઓને ફરજમાં રહેવા તાકીદ કરાઇ છે.

(11:52 am IST)