સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પોરબંદરમાં તેલ અને અનાજના વધુ ભાવ લેવાતાની ફરિયાદો

પોરબંદર તા. ર૬ :.. લોકડાઉન દરમિયાન સુતારવાડામાં કેટલાંક વેપારીઓએ માનવતા નેવે મુકીને તેલ અને અનાજના ભાવો વધુ લેતા હોવાની ફરીયાદો ઉઠી છે.

લોકોની ફરિયાદ મુજબ તેલના ડબા દીઠ રૂ. ૧પ૦ થી ૩૦૦ વધુ લેવાય છે. ઉપર હોલસેલ વેપારીઓ પાસેથી નાના વેપારીઓ ખરીદ કરે ત્યારે તેમને પણ ભાવ વધારો આપવો પડે છે.

જેના કારણે નાના વેપારીઓને મજબુરીથી ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેવા પડે છે. આ પ્રશ્ને કલેકટરને રજૂઆત કરીને અને ડમી ગ્રાહકો મોકલીને ચેકીંગ હાથ ધરીને પગલા લેવા માગણી ઉઠી છે.

(11:50 am IST)