સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

લક્ષ્મણરેખા ન ઓળંગીએ તંત્રને સહકાર આપીએ, તંત્રની સૂચનાઓનું પાલન કરીએ, સલામત રહીએ-ઘરમાં રહીએઃ ફળદુ-માડમ

જામનગર જીલ્લામાં 'કોરોના વાયરસ' સામે લડવા તંત્રની તૈયારી મુદે સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર, તા.૨૬: આજરોજ કલેકટર કચેરી ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસની બીમારી સામે લડવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાંઙ્ગ બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકર દ્વારા જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય વિષયક, કવોરેંટાઇન સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ અને સેમ્પલ ચેકિંગ અંગેની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ તંત્ર દ્વારા કવોરેન્ટાઇન સેન્ટરો અને જી.જી.હોસ્પિટલ ખાતે બેડની સુવિધાઓ, વેન્ટિલેટરની સુવિધાઓની તૈયારીઓ વિશે મહાનુભાવોને જણાવવામાં આવ્યું હતું.ઙ્ગ

આ તકે તંત્ર દ્વારા કોરોનાની બીમારી સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રીશ્રી આર.સી.ફળદુએ સંતોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ બીમારી સામે લડવા દરેક પ્રકારની તૈયારીઓ સંતોષકારક રીતે કરવામાં આવી છે ત્યારે જનતાને પણ અનુરોધ છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે લક્ષ્મણરેખા ન ઓળંગવાની અપીલ કરી છે તેને જામનગરવાસીઓ પણ સમર્થન આપેઙ્ગ અને તેનો અમલ કરે. આપણુ ગામ, આપણો જિલ્લો, આપણું રાજય કે આપણું રાષ્ટ્રમાં કોરોના વાયરસની બીમારીને ફેલાવવામાં આપણે નિમિત્ત્। ન બનીએ અને ઘરમાં જ રહીએઙ્ગ તેમ કહી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓઆ સમયમાં પણ દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહી છે અને હજુ પણ આવશે. લોકો કોઇ અફવાથી ન ભરમાય,ઙ્ગ સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોઈ સેનીટાઇઝરનો ઉપયોગ કરી આ બીમારીને રોકવામાં આગળ આવે, પોતાની જાતને સાચવે અને પરિવારને પણ બચાવે.ઙ્ગ

આ બેઠકમાં સાંસદશ્રી પૂનમબેન માડમે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને આ વાઇરસને ફેલાતો અટકાવવા સામાજિક અંતર રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, વિશ્વના અનેક પ્રગતિશીલ દેશોમાં આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આ મહામારીનો કોઈ ઉપાય નથી અને તેનાથી બચવા આપણે વાઇરસથી બચવું જ રહ્યું. આ માટે લોકો કોઈપણ સ્થળે એકઠા ન થાય તદુપરાંત જીવનજરૂરી ચીજોની દુકાનો પર પણ પાંચથી વધુ લોકો ન એકઠા થાય, તે પાંચ લોકો પણ સામાજિક અંતર જાળવે જેથી આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય. સાંસદશ્રીએ કોઈપણ વ્યકિતને તેમજ પશુઓને પણ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે અને તે માટે તંત્ર કટિબદ્ઘ છે તેમ જણાવ્યું હતું. પશુધન માટે પણ દુકાનો ચાલુ રાખવામાં આવી છે ત્યારે આ આપદાથી બચવાઙ્ગ ઙ્ગબહાર જવાનું અટકાવીએ. વગર કારણે બહાર ન નીકળીએ. દ્યરમાં રહીએ સુરક્ષિત રહીએ અને તંત્રને સહયોગ આપીએ. આ અપીલ સાથે લોકો પોતે જાગૃત રહી દ્યરમાં રહે, અન્યથા તંત્રને પણ ફરજિયાત લોકો પર કાર્યવાહી કરવાની ફરજ બનશે તેથી કોઈપણ બહાને બહાર ન નીકળીએ. તંત્ર પગલા લે એવું ના કરીએ અને કોરોનાના વાહક ન બનીએ, વાલીઓ પણ બાળકોને સમજાવી ઘરની બહાર ન નીકળવા દે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ, એસ.પી.શ્રી શરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)