સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પોરબંદરમાં હિરલબા ભુરાભાઇ જાડેજા દ્વારા જીવન જરૂરીયાતમંદ લોકોના ઘર સુધી ટીફીન પહોંચાડવાની અનોખી સેવા

પોરબંદર, તા. ર૬ : સેવાભાવી સ્વ. ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાની સ્મૃતિમાં લાયસન્સ કલબના પ્રમુખ હિરલબા ભુરાભાઇ જાડેજા દ્વારા કોરોના વાયરસના કહેર સામે લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને ઘર સુધી ભોજન પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવેલ છે.

લોકડાઉન દરમિયાન રોજનું કમાઇને રોજનું ખાતા મજૂર વર્ગ સહિત જરૂરીયાતમંદોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હિરલબા જાડેજા દ્વારા આવા જરૂરીયાતમંદ લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવાની અનોખી સેવા શરૂ કરવામાં આવી છે.

(11:47 am IST)