સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો

વઢવાણ,તા.૨૬: સુરેન્દ્રનગરજિલ્લામાં જિલ્લામાં અચાનક આજે વાતાવરણમાં પલટો આવી ગયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં અચાનક ચિંતાનો માહોલ સજર્યો છે.ત્યારે આજે સવારે જ સુરેન્દ્રનગર જિલ્લા માં વાદળ છાયા વાતાવરણમાં પગલે આજે વરસાદી ઝાપટા ની પણ શકયતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.

ત્યારે આચનક વાતાવરણ પડતાંના કારણે જિલ્લાના ખેડુતોના જીવ તાળવે ચોટયા છે.ત્યારે હાલ આવા વાતાવરણમાં કોરોનાના ખતરા વચ્ચે વાદળ છાયા વાતાવરણના કારણે જિલ્લાના લોકોને પણ ફફડાટ વ્યાપ્યો છે.

(11:34 am IST)