સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જય સ્વામિનારાયણ...જૂનાગઢ મંદિર દ્વારા સી.એમ. ફંડમાં રૂ. ૧૧ લાખ

અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ પગલુ

રાજકોટ, તા. ૨૬ :. શ્રી રાધારમણ દેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જૂનાગઢ દ્વારા કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. ૧૧ લાખનો ચેક મોકલવામાં આવ્યો છે. વહીવટી સમિતિના પ્રમુખ અને મુખ્ય કોઠારી સ્વામીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી આ યોગદાન અપાયાનું જણાવ્યું છે. તેમણે સંસ્થામા ઉતારા માટે ઉપલબ્ધ રૂમ જરૂર પડે તો કોરોનાના દર્દીઓને આઈસોલેશન રૂમ તરીકે ફાળવવા માટેની તૈયારી  બતાવી છે.

(11:32 am IST)