સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ગાંધીનગરમાં પરિવાર સાથે આનંદ માણતા દિલીપ સંઘાણી

રાજકોટઃ. રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી સામાન્ય રીતે મોટાભાગે પ્રવાસમા રહેતા હોય છે. સરકારે ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરતા તેમના માટે ઘરે રહેવુ ફરજીયાત થઈ ગયુ છે. અનાયાસે મળેલા આ મોકા મુજબ તેઓ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ગાંધીનગરના સેકટર-૧માં તેમના બંગલે તેઓ પરિવાર સાથે હળવા વાતાવરણમાં હતા તે વખતની આ તસ્વીર છે

(11:32 am IST)