સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢ પાસે બાઇક ઉપરથી પડતા પિતા-પુત્રના મોત

પુત્રીનો બચાવઃ ખાડાએ બન્‍નેનો ભોગ લેતા પરિવારમાં અરેરાટી

જૂનાગઢ,તા.૨૬: જૂનાગઢ પાસે બાઇક પરથી ઉથલી પડતા જૂનાગઢના પિતા-પુત્રનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ અકસ્‍માતની વિગતો એવી છે કે, જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્‍તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્‍ટમાં રહેતા નિલેશભાઇ મનસુખભાઇ ટાંક (ઉવ.૩૨) અને તેનો પુત્ર અર્પિત (ઉવ.૫) અને પુત્રી આયુષ (ઉવ.૧૧) ગઇ કાલે સાંજે જૂનાગઢનાં પલાસવા ગામેથી મોટર સાયકલના જીજે-૧૧ બીએમ ૩૩૧૫ ઉપર બેસીને જૂનાગઢ તરફ આવી રહ્યા હતા.

ત્‍યારે રસ્‍તામાં પલાસવાના પાટીયા પાસે નંદબાવા ગૌશાળા નજીક પાઇપ લાઇનનાં ચાલતા કામ માટે કરાયેલા ખાડામાં નિલેશભાઇ તેમના બે સંતાનો સાથે બાઇક ખાબકયા હતા.

 આ પ્રમાણે સર્જાયેલા અકસ્‍માતમાં પુત્રી આયુષીનો આ બાદ બચાવ થયો હતો. જ્‍યારે નિલેશભાઇ અને માસુમ પુત્ર અર્પિતનું ગંભીર ઇજા થવાની મૃત્‍યુ નિપજ્‍યું હતું.

આ અંગેની વિશેષ તપાસ પીએસઆઇશ્રી કરે છે.

 

(11:24 am IST)