સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પરબધામે પૂ. સેવાદાસબાપુની તિથિના તમામ કાર્યક્રમો રદ : દર્શન માટે મંદિર પણ બંધ

રાજકોટઃ હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી અંતર્ગત સરકારશ્રીના ૨૧ દિવસના લોકડાઉનના આદેશ અનુસાર પરબધામમાં ઉજવાતી પૂ. શ્રી સેવાદાસબાપુની તીથી નિમિતે તા. ૭-૪-૨૦૨૦ના રોજ દરેક કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. આગામી તા. ૧૪-૪-૨૦૨૦ સુધીના તમામ કાર્યક્રમો તથા મંદિર દર્શન બંધ રાખવામાં આવેલ છે. જેની દરેક ભાવિક ભકતો તથા સેવક સમાજે નોંધ લેવી. દરેક પરબધામના સેવક સમાજને નિવેદન કે પરબધામ મંદિરને સહકાર આપવા પરબધામ વતી પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસબાપુ દ્વારા અનુરોધ કરાયો છે.

(10:17 am IST)