સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ગીર-સોમનાથ પંથકમાં રાઉન્ડ ધ કલોક ૪૦ ચેકપોસ્ટો કાર્યરત છેઃ રાહુલ ત્રિપાઠી

પ્રભાસપાટ : ગીર-સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય પ્રકાશ દ્વારા બહાર પાડેલા જાહેરનામાના કડક અમલવારીના અનુસંધાને સમગ્ર જિલ્લામાં જાહેરનામાના ભંગ કરનાર પ૬ સામે કેસ નોંધાયા છે.

જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીએ નાગરીકોને અપીલ કરી છે કે, જે સ્થળે આવશ્યક સેવાઓ શરૂ રાખવામાં આવી છે ત્યાં ભીડભાડ ન કરે. આવા સ્થળોએ ચીજ વસ્તુઓ લેતી વખતે એકબીજાથી ચોકકસ  અંતર રાખવું લોકો સ્વયંભુ એવુ આયોજન કરે જેથી એક સાથે બધા લોકો બજારમાં જરૂરી વસ્તુ લેવા ન નિકળે.

ગીર-સોમનાથ જિલ્લામાં સરહદો સીલ કરવામાં આવી છે ૪૦ થી વધુ ચેકપોસ્ટ રાઉન્ધ ધ કલોક શરૂ કરવામાં આવી છે.લોકડાઉન દરમિયાન નાગરીકોને કોઇપણ મદદની જરૂરીયાત પડેતો ઇમરજન્સી ૧૦૦ નંબર ડાયલ કરે(તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(7:38 pm IST)