સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સોએ યુવકો અને મહિલાને છરી ઝીંકતા સારવારમાં
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સારા અને સંસ્કારી પરિવારની ઉપર દિન-પ્રતિદિન હુમલાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈ અજાણ્યા શખ્શો યુવાન અને તેના પત્ની ઉપર છરી વડે ઘાતક હુમલો કરી અને નાસી છૂટ્યાનો બનાવ સામે આવ્યો છે.
વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જૈન સમાજના યુવક અને યુવતી સુરેન્દ્રનગર શહેરની શિવશાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે અન્ય રોગની સારવાર અર્થે ગયેલા એવા સમયે અજાણ્યા ઈસમોએ સાથે બોલાચાલી થતા આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં મામલો ગરમાયો હતો હાલમાં જૈન યુવાને અને યુવતીને સુરેન્દ્રનગર જિલ્લા મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડયા છે જયાં સારવાર શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.