News of Friday, 26th February 2021
આમરણમાં ખેતરમાં ચણા સળગાવ્યાની શંકાથી મગનભાઇ ખુંગલા પર હુમલો
મુળુ માયા, લાલો, અલ્પેશ, ઇન્દુ, રાહુલ, વાસુર, દેસુર, હમીર સહિતે હુમલો કર્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૨૬: મોરબીના આમરણ બેલા ગામે રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં મગનભાઇ માણસુરભાઇ ખુંગલા (ઉ.વ.૪૫) પર હુમલો થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેમણે પોતાના પર લાલો, મુળુ માયા, ડાયા માયા, અલ્પેશ ઇન્દુ, રાહુલ, વાસુર, દેસુર, હમીર, ઇન્દુ નાગજી સહિતે કુહાડી-ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી મોરબી તાલુકા પોલીસમાં નોંધાવાઇ હતી.
મગનભાઇના સગાના કહેવા મુજબ હુમલો કરનારાઓના ખેતરમાં ચણાનો ઢગલો પડ્યો હોઇ તે કોઇએ સળગાવી નાંખતા કે કોઇ કારણોસર સળગી જતાં તેની શંકા મગનભાઇ કરી હુમલો કરવામાં આવ્યો હતો.
(11:26 am IST)