સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th February 2018

યાત્રાધામ ડાકોરમાં સોમવારથી ફુલદોલોત્સવ : માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠયા

હોળી પૂનમ ફૂલડોળ ઉત્સવમાં અમદાવાદ, સુરત,વડોદરા સહીત ગુજરાતમાંથી 20 લાખથી વધુ પદયાત્રીઓ ઉમટશે

યાત્રાધામ ડાકોરમાં સોમવારથી ફુલદોલોત્સવ ઉજવાશે મંદિરમાં હોળી પૂનમ ફૂલદોલ ઉત્સવ 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ઉજવાનારા ઉત્સવને લઇને ડાકોર ટેમ્પલ કમિટી,જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અત્યારથી પદયાત્રી સંઘોનું ડાકોરમાં આગમન શરૂ થઇ ગયું  છે.ઉત્સવને લઇને માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠયા છે.સવારની મંગળા આરતીમાં હજારો ભક્તો ઉમટયા હતા.

હોળી પૂનમ ફૂલડોળ ઉત્સવમાં અમદાવાદ, સુરત,વડોદરા સહીત ગુજરાતમાંથી 20 લાખથી વધુ પદયાત્રીઓ ડાકોરમાં દર્શનાર્થે ઉમટી પડશેયાત્રાળુઓ માટે કંટ્રોલ રૂમ,ચેકપોસ્ટો ઉભી કરાઇ છે.પદયાત્રીઓના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.સાથે પીવાના પાણી,વિસામો સહિત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

(1:09 am IST)