સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th December 2017

જૂનાગઢમાં પ૪ નોકરી વાંચ્છુકોને રૂ. પ૪ લાખનો ચુનો લગાવીને નિવૃત આચાર્ય ફરાર

જુનાગઢ, તા. રપ : જુનાગઢમાં પ૪ નોકરી વાંચ્છુઓને રૂ.પ૪.૩પ લાખનો ચુનો લગાવીને ફરાર થઇ જનાર નિવૃત આચાર્યાની પોલીસે શોધખોળ આદરી છે.

જુનાગઢમાં બીલખા રોડ પર રહેતા નિવૃત આચાર્ય રમેશ કાવાભાઇ રાઠોડએ અંકિત ઉકાભાઇ દુધાયાને એકસાઇઝ વિભાગમાં પટ્ટાવાળાની નોકરી અપાવી દેવાની લાલચ આપી તેની પાસેથી રૂ. ૧.૬૦ લાખ ખંખેરી લીધા હતાં.

આ પછી નોકરી નહિ મળતા રમેશ વાળાએ નાણા પરત કરેલ નહિ તેથી અંકિતના પિતાએ છેતરપીંડીની પોલીસ ફરીયાદ કરી હતી.

આ પ્રકરણમાં અંકિત જેવા પ૪ જેટલા બેરોજગારો પાસેથી રૂ. પ૪.૩પ લાખ મેળવી લઇ છેતરપીંડી આચરી હોવાનું બહાર આવેલ છે.

હાલ નિવૃત આચાર્ય રમેશ વાળા ફરાર હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

(3:30 pm IST)