સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

મોરબી : નિદ્રાવસ્થામાં બીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા. રપઃ મોરબી શહેરમાં નિંદ્રાવસ્થામાં બીજા માળેથી અકસ્માતે નીચે પડતા શ્રમિકનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ છતીસગઢનો રહેવાસી અને હાલ રવાપર રોડ વેલકમ જી બ્લોક બીજા માળે રહેતો અને મજૂરી કામ કરતા હેમુસિંહ રઘુવિરસિંહ મરકામ  રાત્રીના નવા બનતા ફલેટમાં બીજા માળે સૂતા હતા. એ સમયે નિંદ્રાવસ્થામાં બીજા મળેથી અકસ્માતે નીચે પડતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:59 pm IST)