સાવરકુંડલાના મુસ્લિમ યુવાને કાંટાના કારખાનામાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : મુસ્લિમ સમાજમાં અરેરાટી
સેવાભાવી લોકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા
(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા. ૨૫ :ઙ્ગ સાવરકુંડલા અમરેલી રોડ ઉપર આવેલ કાંટાના કારખાનામાં મુસ્લિમ યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલેઙ્ગ ખસેડવામાં આવેલ છે જે અંગે સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેના મળતા અહેવાલ એવા પ્રકારના છે કે આજે સવારે સાવરકુંડલા શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ ખટકી વાડમાં રહેતા શાહિદ મહમદભાઈ તરકવાડિયા નામના ૩૨ વર્ષીય મુસ્લિમ યુવાને અમરેલી રોડ ઉપર આવેલ જયશાન કરસન નામના કાંટાના કારખાનામાં દોરડુ બાંધી આપઘાત કર્યા હોવાનું બહાર આવવા પામેલ હતું.
આ બનાવથી મુસ્લિમ સમાજમાં અરેરાટીની લાગણી વ્યાપી જવા પામેલ હતી આ બનાવ ની જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી ગયેલઙ્ગ અને ત્યારબાદ પી એમ માટે ડેડબોડીને ખસેડવામાં આવેલ હતીઙ્ગ આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસે મૃત્યુ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણ સેવા ભાવિ લોકોને થતા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પૂર્વઙ્ગ ઇરફાનભાઈ કુરેશી ઉપ પ્રમુખ નાસિરભાઈ ચૌહાણઙ્ગ વિગેરે સમાજના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયેલ હતા.