સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

જેતપુરમાં પાસ અને એસ.પી.જી. ના લોકો વચ્ચે બનેલ બનાવમાં વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિતના સામે ચાલતા કેસ

અનુસંધાને જેતપુર કોર્ટમાં કેસ પાછો ખેંચવા ની કાર્યવાહી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર:::::જેતપુરમાં2017 માં સરદાર ચોક માં પાસ અને એસ.પી.જી. ના લોકો વચ્ચે બનેલ બનાવમાં વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિતના સામે ચાલતા કેસ માં થોડા સમય પહેલા તેના જામીન મંજૂર કરવામાં આવેલ તે કેસ વિડ્રોલ કરવા રાજકોટના એડવોકેટ મહેશભાઈ જોષી ને સરકારે ઓર્ડર કરેલ છે.

તે અનુસંધાને આજરોજ જેતપુર કોર્ટમાં કેસ પાછો ખેંચવા ની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં એડવોકેટ જોષી એ જણાવેલ કે આજ સાંજ સુધીમાં આ કેસ નો ઓર્ડર પણ કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(3:34 pm IST)