સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

થાનગઢમાં જુના મનદુઃખમાં નિખીલ પર ધોકાથી હુમલો

ચંપાબેન અને તેના પુત્રોએ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫: થાનગઢમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં નિખીલ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૨૫)ને પડોશી ચંપાબેન, તેના પુત્રો વિક્કી, લાલો સહિતે ઝઘડો કરી ધોકાથી માર મારતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

નિખીલ સાથે થોડા દિવસ પહેલા પડોશીને માથાકુટ થતાં તે ઘરેથી જતો રહ્યો હતો. ગઇકાલે પાછો આવ્યો ત્યારે અગાઉનો ખાર રાખી હુમલો કરાયાનું તેના સગાએ જણાવ્યું હતું.

(11:42 am IST)