કેશોદઃ નેટવર્ક ન્યુઝના સંચાલક ઉપર હુમલાને વખોડયો
કેશોદ : કેશોદ પ્રેસ કલબ દ્વારા નાયબ કલેકટર મારફતે ગૃહમંત્રી ગુજરાત રાજય સરકાર ને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, સિંહોરમાં ખેડુતોના મસિહા અને નેટવર્ક ન્યુઝ ગુજરાતના સંચાલક વિજયસિંહ ઉપર આઠથી દસ કરતા વધારે વ્યકિતઓ દ્વારા તલવાર, ધારિયા, કુહાડી, પિસ્તોલ જેવા હથિયાર સાથે કરવામાં આવેલ હિચકારી જાનલેવા હુમલો ખુબ દુઃખદ ઘટના છે. અમે સખ્ત રીતે વખોડીએ છીએ.લોકોની વેદનાં ને વાચા આપી ટેલી મીડિયા, પ્રિન્ટ મીડિયા અને શોશ્યલ મીડિયા માં રજુ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવા પ્રયત્નો કરે છે ત્યારે આવારા તત્વો દ્વારા અવાજ દબાવવા પ્રયાસ થાય છે ત્યારે આવાં તત્વો સામે કડક કાર્યવાહી કરવા.કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદભાઈ હડીયા, પત્રકારો રાજુભાઈ પંડ્યા, જયભાઈ વીરાણી, કમલેશભાઈ જોષી, પ્રવિણભાઈ કરંગીયા, જગદીશભાઈ યાદવ, અશોકભાઈ રેણુકા, શોભનાબેન બાલસ દ્વારા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.તે તસ્વીર. (તસ્વીર :કિશોર દેવાણી -કેશોદ)