સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th November 2019

મહેસુલ વિભાગના આવકારદાયી નિર્ણયો : ભાણજીભાઇ દાફડા

રાજકોટ : તાજેતરમાં મહેસુલ વિભાગે જાહેર કરેલ અનેકવિધ નિર્ણયોને ભારતીય આંબેડકર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભાણજીભાઇ દાફડાએ આવકારદાયી ગણાવેલ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, મુખ્ય સચિવ ડો. જે. એન. સિઘે ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપેલ. ગોંડલના સડક પીપળીયા ગામના ખેડુત લાભાર્થી તરીકે ભાણજીભાઇ દાફડાએ આ કાર્યક્રમમાં હાજર રહી લાભ લીધો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:35 pm IST)