જામજોધપુરમાં ઝડપાયું સસ્તા અનાજની દુકાનનું રાશન સગેવગે કરવાનું કૌભાંડ
(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર, તા.૨૫: તાલુકાના કોટડા બાવીસી ગામના પાટિયા પાસે આવેલ વ્રજ ફ્રુડ પ્રોડકટ્સ નામના કારખાના માંથી સસ્તા અનાજ નું રાસન ચોખાના ૩૦૧ કટા ઝડપાયા છે
જામજોધપુર પોલીસ રાત્રી ના સમયે પેટ્રોલિંગ હતી તે દરમિયાનઙ્ગ એક ટ્રક માંથી માલ ઉતરી રહ્યો હતો અને તપાસ કરતા કોઈ પુરાવા ન મળતા મામલતદારશ્રી ને જાણ કરતા મામલતદારશ્રી દ્વારા તપાસ કરતા સસ્તા અનાજ ની દુકાન ના સરકારી ચોખા હોવાનું જાણવા મળતા ૩૦૧ ચોખાના કટા જપ્ત કરી FCIના ગોડાઉન ખાતેઙ્ગ સિઝ કરાયાં છે અને ૫ લાખ રૂપિયાની કિંમતનો ટ્રકઙ્ગ પણ કબ્જે કરાયો છે તથા જિલ્લા પુરવઠા અધિકારી ને જાણ કરવામાં આવી છે આ પુરવઠાનો જથ્થો વહેચનાર કોણ ? કયાંથી આવ્યો તો તેમની તપાસ પણ થવી જોઈએ ? અને સસ્તા અનાજના આવા દુકાનદાર પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. (૨૨.૪૬)