જસદણ તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઇ
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૫ : જસદણ તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાની નિમણૂંક બાદ પ્રથમ કારોબારી બેઠકᅠઆટકોટ નજીકના અંબાજી માતાજીના મંદિરે મળી હતી.
જસદણ ભાજપ અનુ.જાતિ મોરચાની આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ પ્રદ્યુમન વાંઝા, રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ,ᅠ મહામંત્રી લાલજીભાઈᅠ આઠું , મહામંત્રી મહેશભાઈ વાણીયા, ઉપ પ્રમુખ અશોકભાઈ બથવારની સુચના મુજબ કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
જેમાં આંબેડકર આવાસ સો ચોરસᅠ વાર પ્લોટ, ગામડે ગામડે આંબેડકર હોલ,ᅠ અનુ.જાતિ માટે છાત્રાલય વગેરે સમાજ લક્ષી મુદ્દાઓની જસદણ તાલુકાના અનુ.જાતિ મોરચાના પ્રમુખ જીતુભાઈᅠ દાફડા, મહામંત્રી દેવકુભાઇ મકવાણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીનભાઈᅠ ફોગ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જિલ્લા પંચાયત સદસ્ય પરેશભાઈ રાદડીયા, આટકોટᅠ સરપંચ પ્રતિનિધિ દેવશીભાઇ ખોખરીયા તથા જસદણ તાલુકાની અનુ.જાતિ મોરચા ટીમ હાજર રહી હતી.