News of Sunday, 25th October 2020
કચ્છના જખણીયા ગામે પત્નિ અને ત્રણ સંતાનોની હત્યા કરનાર પતિની લાશ મળી- આત્મહત્યા કરી હોવાની શંકા
ભુજ : ગત ૨૧ ઓક્ટોબરે માંડવીના જખણીયા ગામે પોતાની પત્નિ ભાવનાબેન, ત્રણ માસુમ પુત્રીઓ ધ્રુપ્તિ, કિંજલ અને ધર્મિષ્ઠાની હત્યા કરી ફરાર થઈ જનાર પતિ શિવજી પચાણ સંઘારની લાશ આજે મોડી સાંજે મળી આવી છે. વણોઠી ડેમ પાસેના જંગલમાં શિવજીની કોહવાયેલી લાશ મળી આવી હતી. શિવજીએ આત્મહત્યા કરી હોવાની શંકાના આઘારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ૪૦ વર્ષીય શિવજીએ આર્થિક સંકડામણ અને બે પુત્રીઓની બીમારીથી માનસિક સમતુલા ગુમાવી ચાર ચાર હત્યાઓ કરી જાતે જ પોતાના પરિવારનો માળો વીંખી નાખ્યો હતો.
(9:56 pm IST)