સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th September 2022

ભગવતભૂમિ ગોંડલમાં જય શ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી નું આયોજન.

 ગોંડલ:ઈતિહાસિક સંગ્રામસિંહ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે નવલા નોરતામાં નવ દિવસ દાંડિયા રાસનું જય શ્રી રામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

 ભગવત ભૂમિ ગોંડલમાં પ્રથમ વખત ફ્રી દાંડીયા રાસ નું સહપરિવાર રમી શકે તેવું જય શ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પુથ્વીરાજ સિંહ વજુભા જાડેજા તેમજ તેની ટીમ દ્વારા  શહેરના તમામ ખેલૈયાઓને પ્લેટફોર્મ મળે તેવા ઉમદા હેતુથી ફ્રી દાંડિયા રાસ નું  આયોજન કરેલ હોય શહેર મા ખૈલૈયાઓ મા ઉત્સાહ પ્રવૃતી રહ્યો છે.

(3:20 pm IST)