સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th September 2021

સાવરકુંડલામા ત્રણ માસની રાહત બાદ કોરોનાનો કેસ આવ્યો : શેરી સીલ કરાઈ

( દિપક પાંધી દ્વારા)સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા મા ત્રણ માસ ની રાહત બાદ કોરોનાનો કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

       શહેરના જેસર રોડ ઉપર આવેલ ગીતાંજલી સોસાયટી ના રહેવાસી પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આખી શેરી સીલ કરાઈ છે.સંપર્ક માં આવેલા તમામ ના રીપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

          મુંબઈથી આવેલા કોઇ વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના નો કેસ આવ્યો હોવાનું બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું

(6:38 pm IST)