ચોટીલામાં ૧૩ વર્ષની બાળાનો આપઘાત
ગળેફાંસો ખાઇને મોત મીઠુ કરી લીધુઃ કારણ અંગે તપાસ
(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૨૫: ચોટીલા મનહર પાર્ક સોસાયટીમાં ૧૩ વર્ષની બાળકીએ પંખા સાથે સાડી વડે લટકાઇ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચેલ છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સાયલાના વતની અને ચોટીલામાં છેલ્લા સાતેક વર્ષ થી મનહર પાર્ક સોસાયટીમાં રહેતા મુળજીભાઇ રામજીભાઈ ચનુરા ની ૧૩ વર્ષ ની પુત્રીએ બુધવારનાં મોડી સાંજે તેમના જ ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે લટકાઇ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલ છે.મરનારના માતા ઘરકામ કરે છે અને પિતા ડોળીયા ખાતે નાસ્તાના વ્યવસાય કરે છે. શાળા સમય પછી સાંજે દિકરી માતાને ઘરે જોવા નહી મળતા શોધખોળ કરેલ હતી જે દરમિયાન ઉપરના માળે રૂમમાં જોતા લટકતી હાલતમાં મળી આવતા નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયેલ જયાં ફરજ પરના ડોકટરે મરણ જાહેર કરેલ છે
પ્રાથમિક તપાસમાં દ્યરમાં ઠપકો આપેલ હોય અને પગલું ભર્યું હોવાનું એએસઆઇ સાંગણભાઇ ઓડેદરાએ જણાવેલ છે તેમ છતા ૧૩ વર્ષ ની બાળકી એ આત્મદ્યાતી પગલું ભરતા ચકચાર ફેલાયેલ છે પોલીસ રહસ્ય ઉકેલવા પરિવાર સહિતના નિવેદનો લઇ ને આત્મહત્યા નું કારણ જાણવા પીએમ કરાવી તપાસ હાથ ધરેલ છે.