પોરબંદરનાં અડીખમ લોકપ્રહરી ભગુભાઇ દેવાણીનું અવસાનઃ સાંજે ઉઠમણુ-પ્રાર્થનાસભા
રાજકોટ :જૂની પેઢી તેજતર્રાર આગેવાન અને રાજકીય અગ્રણી તથા જગતા પ્રહરી પોરબંદર નિવાસી સ્વ. ભગુભાઇ દેવાણી (ઉવ.૮૫) તે સ્વ. નરશીભાઇ, સ્વ. ડાયાભાઇ, સ્વ.દેવુભાઇ તથા શ્રી જયાબેન વિઠ્ઠલદાસ ઠકરારના ભાઇ, તેમજ સંજયભાઇ, સમીરભાઇ, નયનાબેન હિતેશભાઇ ચગ, હીનાબેન નરેશભાઇ ખિમાણી, હર્ષાબેન પરેશભાઇ ચગ, પ્રિતીબેન કનૈયાભાઇ કોટેચા તથા રેખાબેન સમીરભાઇ કોટેચાના પિતાશ્રી તથા ડો.અનિલભાઇ, ડો.કિરીટભાઇ તથા કમલભાઇ દેવેન્દ્રભાઇના કાકા તથા નાથાલાલ નાનજીભાઇ તન્ના (ભાણવડ)ના જમાઇનું તા.૨૪/૯/૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું/ પ્રાર્થનાસભા આજે તા. ૨૫/૯/૨૧ના સાંજે ૪:૧૫ થી ૪:૪૫ સ્થળઃ લોહાણા મહાજનવાડી, પ્રાર્થના સભા હોલ પોરબંદર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, 'અકિલા' ઇન્ટરનેટ અડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા, 'અકિલા' પરિવારના મોટાબેન તથા મહિલા ક્રાંતિના તંત્રી મીનાબેન હરિશભાઇ ચગ તથા 'અકિલા' પરિવારે બે મિનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.