નરેન્દ્રભાઇનાં કાર્યક્રમ પહેલા કચ્છમાં સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતા દોડધામ
ભુજ તા. રપઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૦મીએ અંજારમાં જાહેરસભાને સંબોધન કરવા આવી રહ્યાં છે તે ટાંકણે જ ભચાઉ તાલુકાના ચૌબારી નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયાં હોવાનું સુરક્ષા એજન્સીઓના સુત્રોએ જણાવ્યું છે.
વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ ચોબારીથી સાઉથ વેસ્ટ દિશામાં ૧૯ કિલોમીટર દૂર ર૪ તારીખે ૧ર વાગ્યાના અરસામાં આ સિગ્નલ ટ્રેસ થયા હતા. આ સ્થળ પર સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ તપાસ કરી છે. પરંતુ કોઇ સચોટ સગડ મળ્યાં નથી.
આ રૂટ ઇન્ટરનેશનલ ફલાઇટનો હોઇ સંભવતઃ આ સમયે અહીંથી પસાર થતાં પ્લેનમાંથીકોઇએ સેટેલાઇટ ફોન ઓપરેટ કર્યો હોય અને તેના સિગ્નલ અહીં ટ્રેસ થયાં હોઇ શકે, અલબત્ત, સમગ્ર બાબતને લઇ ભારે ગુપ્તતા સેવાઇ રહી હોય વધુ વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. (૭.રર)