News of Tuesday, 25th September 2018
રવિવારે નરેન્દ્રભાઇ મોદી આણંદ, કચ્છ, રાજકોટના પ્રવાસેઃ વિજયભાઇ રૂપાણીની જાહેરાત
ગાંધીનગર, તા.૨૫: મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરના ગુજરાતના એક દિવસીય મુલાકાતે આવશે તેની જાણકારી પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આણંદમાં ડેરીના નવા ચોકલેટ પ્લાન્ટનો લોકર્પણ અને ખેડૂત સંમેલન કરશે. મુન્દ્રામાં એલ એન જી ટર્મિનલ પોર્ટનું ઉદ્ઘાટન અને રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ લોકાર્પણ અને રાજકોટ મહાનગરમાં આઇ રાજકોટ અંતર્ગત સી સિટીવી નેટવર્કના બીજા ફેઇઝનું ઉદ્ઘાટન અને ગરીબોને પાકા આવાસ અર્પણના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન શ્રી રાજકોટથી સાંજે દિલ્હી જવા રવાના થશે.(૨૨.૧૦)
(3:46 pm IST)