સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

મિત્રો સાથે ભાવનગરના કુડાના દરયિામા ન્હાવા ગયેલા તુલસી મકવાણાનુ ડુબી જતા મોત

ભાવનગર તા.૨૪: શહેરના ઘોઘા રોડ શીતળામાતાના મંદિર પાસે મારૂતીનગરમાં રહેતા તુલસીભાઇ નારણભાઇ મકવાણા ઉ.વ.૩૭ તેના મિત્રો સાથએ નજીકના કુડાના દરિયામાં ન્હાવા ગયા હતા ત્યારે સમુદ્રના ઉડા પાણીમાં ગુમ થઇ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

પાલીતાણાના ખારા ડેમમાંથી યુવાનની લાશ મળી આવી

પાલીતાણા હાથીયાધાર વિસ્તારમાં રહેતા ઓધાભાઇ બીજલભાઇ પરમાર ખારા ડેમ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને ડેમમાં એક અજાણ્યા યુવાનની લાશ જોવા મળતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.(૧૭.૧)

 

(1:13 pm IST)