સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

મોરબી જિલ્લા માટે સારા સમાચાર, જીલ્લો કોરોના મુક્ત બન્યો.:પરંતું લોકો ખુબ સાવચેતી રાખે તે જરૂરી.

એક દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યો હતો જે સાજો થઈ જતા મોરબીના જીલ્લો કોરોના મુક્ત બન્યો

મોરબી જીલ્લામાં કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે હાલ એક દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યો હતો જે સાજો થઈ જતા મોરબીના જીલ્લો કોરોના મુક્ત બન્યો છે.

મોરબીના આરોગ્ય અધિકારી સી.એલ.વારેવરીયા પાસેથી મળતી વિગત મુજબ મોરબી જીલ્લામાં આજે ૧૫૫ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક પણ દર્દી પોઝીટીવ ન આવ્યો હતો તો મોરબી સિટીમાં એક દર્દી સારવાર લઈ રહ્યો હતો તેણે પણ કોરોનાને મ્હાત આપતા આજે મોરબી જીલ્લો કોરોના મુક્ત થયો છે જેથી આરોગ્ય વિભાગે અને મોરબીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો લોકોને હજુ પણ તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે કારણકે ત્રીજી લેહરનો ખતરાની આંશકા સેવાય રહી છે જેથી લોકોએ તકેદારી રાખવી જોઈએ તે ખુબ જરૂરી છે.

(9:25 pm IST)