સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

ગોંડલ નજીકના વેરી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે

ગોંડલ કંટોલીયા અને વારા કોટડા ગામના લોકો એ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના

ગોંડલ  આવેલ વેરી ડેમ તેની નિર્ધારિત સપાટીએ ૮૦ ટકા ભરાઈ જવામાં છે ૪૪૪૪ ક્યુસેક પાણી ની આવક ચાલુ હોવાથી ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગોંડલ કંટોલીયા અને વારા કોટડા ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(8:27 pm IST)