સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

માંગરોળનાં બામણબડા, ઝરીયાવાડા, અજક, નગીચાણામાં સાડા પાંચ ઇંચ વરસાદથી પાણી-પાણીઃ મકાનોના છાપરા ઉઠયા

જુનાગઢ : માંગરોળના બામણવાડા અને તેની આસપાસના ઝરીયાવાડા, આજક, નગીચાણા, સહિતના ગામોમાં ગુરૂવારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકયો હતો, માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્‍યા હતા તો અનેક સ્‍થળે હાઇવે પર મોટા મોટા વડલાઓ ધરાશાયી થતા માધુપુર અને કેશોદનો હાઇવે કલાકો સુધી બંધ રહ્યો હતો. ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. તો અનેક વાડી વિસ્‍તારમાં મકાનોની છત અને છાપરા ઉડી ગયા હતાં.

(12:44 pm IST)