ભાવનગરઃ ભત્રીજાની હત્યાના ગુનામાં કાકાને તળાજાની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ભાવનગરના દાઠા પોલીસ તાબાના આમળા ગામે પાણી ની લાઈન ફેરવવા ની સામાન્ય બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપધારણ કરી કાકા એ સગા ભત્રીજા ની હત્યા નિપજાવવાના કેસમાં તળાજા કોર્ટ એ આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે.
તળાજા એડી.ડિસ્ટ્રીકટ સેશન કોર્ટ દ્વારા આજે ફરમાવેલ આજીવન કેદ અંગે સરકારી વકીલ કમલેશભાઈ કેસરી અને ફરિયાદી પક્ષના વકીલ વી.એસ.ડાભી એ આપેલ વિગત મુજબ દાઠા પોલીસ મથક નીચે આવતા આમળા ગામના ગીતાબેન ઓધાભાઈ મકવાણા એ પતિ ઓધાભાઈ પાચાભાઈ મકવાણા ની હત્યા બાલાભાઈ અરજણભાઈ મકવાણા એ નિપજાવ્યાની ફરિયાદ ગત.તા ૨૨/૭/૧૯ ના રોજ નિપજાવ્યાની નોંધાવેલ.
બનાવના કારણમાં પાણી ની લાઈન ખોદવા જેવી સામાન્ય બાબતે બન્યો હતો. આરોપી એ તલવાર ના આડાઉભાં ઘા ઝીકયા હતા.જે જીવલેણ સાબિત થયા હતા.
આ કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલતા મૌખિક ૧૭ અને દસ્તાવેજી ૨૯ પુરાવા ચકાસવામાં આવ્યા હતા.જેમાં સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.જેને લઈ કોર્ટના જજ જે.એમ.બ્રહ્મભટ્ટ એ જે ઇજાઓ થયેલ તે હત્યા નિપજવવા પૂરતી હોય જેને લઈ આજીવન કેદ સાથે પાંચ હજાર નો દંડ અને તે ન ભરેતો વધુછમાસ ની સજા ફટકારી હતી.
ઉલ્લેખનીય છેકે કલમ ૪૨૮ મુજબ જટલો સમય કાચા કામના કેદી તરીકે કાપ્યો છે તે મજરે કાપવાની થશે.સજા ને લઈ ગુન્હેગાર વર્ગમા ફફડાટ ફેલાયો હતો.