કોરોનાને કારણે વંથલીના એક દર્દીનું મોતઃ છ તાલુકા કોરોના મુકત
(વિનુ જોશી) જુનાગઢ તા.રપ : કોરોનાને કારણે વંથલીના એક દર્દીનું મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.
એક જ દિવસમાં ર૦૯ર૩ લોકોએ રસી લીધી : ર૪ કલાકમાં પાંચ કેસની સામે ૬૦ દર્દી ડિસ્ચાર્જ
જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસ સતત ઘટી રહયા છે. છેલ્લા ત્રણ દિવસથી સદનસીબે કોરોના દર્દીનું મોત થયેલ નહિ. પરંતુ ગઇકાલે વંથલી વિસ્તારનાં એક પેશન્ટને કોરોના ભરખી જતાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી.
બીજી તરફ જિલ્લામાં ર૪ કલાક દરમિયાન જુનાગઢ સીટીના બે, તેમજ કેશોદ, માણાવદર અને માંગરોળના એક-એક કેસ મળી કુલ પાંચ જ કેસ નોંધાયા છતા જેમાં જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, માળીયા, મેંદરડા, વંથલી અને વિસાવદર સહિત છ તાલુકા કોરોના મુકત રહયા હતા.
ગુરૂવારે કુલ ૬૦ દર્દીએ કોરોનાને હરાવ્યો છતા ગઇકાલે એક જ દિવસમાં જુનાગઢ કોર્પોરેશનનાં રપ૧પ અને ગ્રામ્યનાં ૧૮૪૦૮ મળી કુલ ર૦૯ર૩ લોકોએ રસી લીધી હતી.