રાવકી નદીના પુલ પ્રશ્ને આવેદન : આમઆદમી પાર્ટી રાજકોટ જીલ્લાની ટીમ મેદાનમાં
શાપર-વેરાવળ તા.રપ : રાવકી ગામ નજીક રાવકી નદીના પુલનુ કામ હાલ ગોકળગાયની ધીમી ગતિએ ચાલુ છે અને તંત્રની ઘોરબેદરકારીના કારણે વાહનચાલકોમાં ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો અને તંત્રની બેદરકારીના કારણે કારચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને એવી ઘટના બીજી વારનો બંને અને કોઇપણ વ્યકિત તેના સ્વજનો ગુમાવવાનો વારો ન આવે તેને ધ્યાનમાં રાખીને આમઆદમી પાર્ટી રાજકોટ જિલ્લાની ટીમ અને લોધીકા તાલુકાની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા પ્રમુખ તેજશભાઇ ગાજીપરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા હોદ્દેદારોમાં યુવા પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, જતીનભાઇ ધામેલીયા, યુવા ઉપપ્રમુખ શ્યામલભાઇ મેંદપરા, વિજયસિંહ જાડેજા, કિશાનસેલ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, લોધીકા તાલુકાના પ્રમુખ રાકેશભાઇ વેકરીયા, હકુભા, તાલુકા નીરીક્ષક જગદીશ પ્રજાપતિ, ઉપપ્રમુખ વિશાલભાઇ ફાચરા, સહમંત્રી અનિલભાઇ કુગસીયા, લઘુમતી મોરચાના પ્રમુખ મકબુલ ઠેબા કાંગશીયાળીના રમેશભાઇ પરમાર, માખાવડના નીલેશભાઇ વેકરીયા, દેવજીભાઇ રામાણી અને નરેશભાઇ દેસાઇ સાથે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા સાથે મળીને લોધીકા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને આગામી સમયમાં આવી બાબત ઉપર યોગ્ય પગલા લે તેવી રજૂઆત કરવામાં આવી હતી.