રાજસ્થાનમાં કથામાં મંડપ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ.મોરારીબાપુની સહાય
ભાવનગર તા.૨૫: ગત દિવસોમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના જસોલ ગામે જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી. અચાનક આવેલી આંધી અને વરસાદને લીધે એ કથાનો મંડપ ક્ષતિગ્રસ્ત થતાં ૧૪ લોકોએ પોતાનો જાન ગુમાવ્યો હતો. અને અનેક લોકો ઘાયલ થયા હતા. એ તમામ મૃતકોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે મોરારિબાપુએ રૂપિયા પાંચ-પાંચ હજારની સહાય મોકલાવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારિબાપુ હાલ અમેરિકા રામકથા માટે ગયા છે અને ત્યાં એમને આ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી અને તે મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવેલ છે. આગામી તારીખ ૨૯ જૂનથી અમેરિકાના ટેડ્રોઇટ ખાતે એમની રામકથાનો પ્રારંભ થશે. ફુલ રૂપિયા સીતેર હજારની સહાયતા રાશી મોકલાવેલ છે. રાજસ્થાનના રામકથાના શ્રોતાની મદદવડે આ રાશી મૃતકોના પરિવારને પહોંચતી કરવામાં આવશે.