દામનગર એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ
દામનગર : નવા બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ. આ ૮૯ લાખના ખર્ચે બંધાયેલ નવા બસ સ્ટેન્ડ પર લોકાર્પણ સમયે અમરેલી વિભાગીય યાંત્રિક ઇજનેર પી.એન.સેલાર તથા એસટી વિભાગના વડા પી.આર.ચાવડા સહિતના મહાનુભાવો હાજર રહેલ. આ તકે ભાજપ શહેર પ્રમુખ પ્રિતેશભાઇ નાચેલા, લાઠી તાલુકાના કોંગ્રેસ સમિતિના મુખ્યમંત્રી રાજુભાઇ નારોલા, ન.પા.ના પ્રમુખ હરેશભાઇ પરમાર, માજી પ્રમુખ અમરશીભાઇ નારોલા, ધીરૂભાઇ નારોલા, શહેરમંત્રી ધ્રુવભાઇ ભટ્ટ, વિપુલભાઇ જોશી, શહેર પીજીવીસીએલના ગોસ્વામી, સતીષબાપુ, અનુ. મોર્ચા પ્રમુખ ભરતભાઇ ભાસ્કર, આઇટીસેલના કન્વીનર જીતેન્દ્રભાઇ લાઠીયા, પત્રકાર વિમલભાઇ ઠાકર, વિનુભાઇ જયપાલ, નટવરગીરી ગોસ્વામી, અતુલ શુકલ તથા નટુભાઇ ભાતીયા ઉપસ્થિત રહેલ. બસ સ્ટેશનના લોકાર્પણની તસ્વીર.