News of Monday, 25th June 2018
પોરબંદરમાં દરિયો નહીં ખેડવા માછીમારોને તાકીદ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવાના આદેશ:એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાયરખાઈ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ દરમિયાન પોરબંદરમાં દરિયો ન ખેડવા માછીમારોને તાકીદ કરાઈ છેદક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવાના આદેશ કરવામાં આવ્યા છે. કોઈ આફતના સમયે મદદ માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાશે તો વધારે મદદ પણ માંગવામાં આવશે.
(12:47 am IST)