સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

પ્રભાસ પાટણમાં રામદેવજી મંદિરનો પાટોત્સવ

પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણ મોટા કોળીવાડામાં રામદેવજી મહારાજના મંદિરને રપ વર્ષ પૂર્ણ થતા રપમો પાટોત્સવનો ઉત્સવ મનાવવામાં આવેલ જેમાં મહાપ્રસાદી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં સમાજના આગેવાનો સહિત સમાજભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં નિલકંઠભાઇ જાની અને તેમની  ટીમ દ્વારા લોકોનેમોજ કરાવેલ હતી. અગ્રણીઓએ પણ હાજરી આપેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં ઘેડીયા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયા અને સમાજનાં તમામ આગેવાનો તેમજ પાટોત્સવના યજમાનો અને સ્વયંમ સેવકોએ જહેમત ઉઠાવી હતી.શોભાયાત્રા નીકળી તે તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:02 pm IST)